Gujarat Kusum Yojana 2024: ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઉર્જા થી ચાલતા પંપ ની સ્થાપના માટે મળશે સબસીડી

Gujarat Kusum Yojana 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય કરવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. જેમાં ખેડૂતોને પોતાના ખેતરમાં સિંચાઈ કરવા માટે સૌર ઉર્જા થી ચાલતા પંપ આપવામાં આવે છે. આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર અત્યારે પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા ત્રણ કરોડ કંપની સૌરઉર્જાથી ચાલતા પંપમાં રૂપાંતરિત કરવા ના લક્ષ્યો સાથે કામ કરી રહ્યા છે. સરકાર આ યોજના દ્વારા હવે સૌર ઉર્જા તરફ આગળ વધી રહી છે. અને આ યોજનાના પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા 1.75 લાખ કંપની સોલર પંપમાં ફેરવવામાં આવશે. આજના આ લેખમાં અમે તમને ગુજરાત કુસુમ યોજના વિશે માહિતી આપીશું.

ગુજરાત કુસુમ યોજના 2024 | Gujarat Kusum Yojana 2024

 ગુજરાત કુસુમ યોજનાએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સહાય માટેની એક પહેલ છે જેમાં અત્યાર સુધી પરંપરાગત ડીઝલ પંપને આગામી 10 વર્ષ સુધીમાં સૌર ઉર્જા થી ચાલતા પંપમાં ફેરવવાનો લક્ષ્ય ધરાવે છે. આ યોજનામાં 3 કરોડ કૃષિ પંપ અને 17.5 લાખ ડીઝલ પંપની સૌર ઉર્જા તે ચાલતા પંપમાં ફેરવવાનો લક્ષ્ય છે. જેના કારણે હવે બિન નવીનકરણીય ઉર્જા સ્ત્રોત પરની નિર્ભતામાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે.

આ યોજનાએ ગુજરાત રાજ્યના કૃષિ સમુદાય માટે એક અવસરપાત્ર છે જેમાં પોતાના ખેતરમાં સિંચાઈની જરૂરિયાત માટે ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ હોય તેવા એક ઉકેલ પ્રાપ્ત કરાવે છે. સરકારે આ યોજનામાં સૌર ઉર્જા એક મહત્વની ભૂમિકા ભજવે છે તેના માટે રૂપિયા 50 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. આ યોજના રાજ્યના ખેડૂતોને પોતાના ખેતરમાં સોલર પંપ લગાવવાની સુવિધા આપવા અને જુદી જુદી સર ઉર્જા નો લાભ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે નિર્ધારિત કરવામાં આવેલી છે.

ગુજરાત કુસુમ યોજનાનો 2024 ઉદ્દેશ

આ કુસુમ યોજના એ ભારત દેશના ઘણા બધા રાજ્યોમાં દુષ્કાળના સમયે આવનારા પડકારોના સામે પ્રતિભાવ આપવા માટે શરૂ કરવામાં આવેલી છે. જ્યારે દુષ્કાળના સમયમાં ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તેની અસરને ઘટાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. પ્રધાનમંત્રી કુસુમ યોજનાએ દેશભરના ખેડૂતોને એકદમ મફતમાં વીજળી આવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી છે. આ યોજનામાં ખેડૂતોને સિંચાઈના હેતુ માટે સૌ પેનલની સુવિધાઓ આપવામાં આવે છે. અને આ સિંચાઈ સુવિધાઓ ના કારણે ખેડૂતોના કૃષિ ઉત્પાદનમાં વધારો થઈ શકે છે.

Read More- Jan Dhan Yojana 2024: પ્રધાનમંત્રી જન ધન યોજના, તમને રૂપિયા 10,000 ની સહાય મળશે

ગુજરાત કુસુમ યોજનામાં મળતા લાભ

  • આ યોજનાએ વ્યાપક સહભાગીતા નિશ્ચિત કરીને સમગ્ર દેશના તમામ ખેડૂતોને લાભ આપવા પાત્ર બનાવે છે.
  • જ્યારે ખેડૂતો સોલર વાળા સિંચાઈ પંપ કરી દે છે તો તેના પર સબસીડી આપવામાં આવે છે જેના કારણે તે સસ્તું બને છે.
  • યોજનાના પ્રારંભિક તબક્કામાં ડીઝલ થી ચાલતા 17.5 લાખ સિંચાઈ કંપની સૌરઉર્જામાં ફેરવવામાં આવશે જેના કારણે ડીઝલના વપરાશમાં ઘટાડો થશે.
  • આ યોજનામાં લગભગ દસ લાખ ગ્રીડ કનેક્ટેડ કૃષિ પંપના સોલરાઈઝેશન નું લેક્ચર રાખવામાં આવેલું છે. જે બિન પરંપરાગત એનર્જી ને ઉપયોગ લેવાનું એક યોગદાન આપે છે.
  • આ યોજનાના કારણે વધારે પ્રમાણમાં મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે જેના કારણે રાષ્ટ્રીય બીજ પુરવઠામાં ખેડૂતો દ્વારા વધારાનું યોગદાન આપવામાં આવશે.
  • સરકાર દ્વારા સોલર પેનલ લગાવવા પર 60% સબસીડી આપવામાં આવે છે જેમાં બેંક દ્વારા ૩૦ ટકા લોન આપવામાં આવે છે જેમાં ખેડૂતોને કુલ ખર્ચાના 10% યોગદાન આપવાનું રહેશે.
  • આ યોજનામાં મુખ્યત્વે ખેડૂતોને દુષ્કાળના સમયમાં વીજળીની અછતનો સામનો કરવા માટે લાભ આપવામાં આવે છે.

ગુજરાત કુસુમ યોજના પાત્રતા | Gujarat Kusum Yojana 2024

  • યોજનામાં અરજી કરનાર વ્યક્તિ ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજનામાં અરજદાર 0.5 થી લઈ 2 મેગાવવાની ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ ખરીદવા માટે અરજી કરવા પાત્રતા ધરાવે છે.
  • અરજદાર આ યોજના માટે પોતાના જમીનના કદ અથવા તો વિતરણ નિગમ દ્વારા નિર્દેશ ક્ષમતા મર્યાદા ના આધારે જે ઓછું હોય તેના માટે 2 મેગાવોટ સુધીની ક્ષમતાની સોલર પેનલ માટે અરજી કરી શકે છે.
  • આ યોજના માટે 2 હેક્ટર જમીન પ્રતિ મેઘાવટ સોલર પાવર પ્લાન્ટની ક્ષમતાની જરૂર પડશે.

ગુજરાત કુસુમ યોજના જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • એપ્લિકેશન ફોર્મ ની નકલ
  • બેન્ક એકાઉન્ટ નું સ્ટેટમેન્ટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જમીનની માલિકીના દસ્તાવેજ
  • યોજનાની પરવાનગી આપતો પત્ર
  • નેટવર્થ પ્રમાણપત્ર

ગુજરાત કુસુમ યોજના 2024 અરજી પ્રક્રિયા | Gujarat Kusum Yojana 2024

  • સૌપ્રથમ ઓનલાઇન અરજી કરવા માટે ગુજરાત કુસુમ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હવે અહીં હોમપેજ પર ઓનલાઇન એપ્લિકેશન નું ઓપ્શન આપેલું હોય છે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • એકવાર એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી  ફરીથી ચેક કરીને સબમીટ બટન પર ક્લિક કરો.

Gujarat Kusum Yojana 2024 – Apply Now 

Read More- PM Awas Yojana 2024: PM આવાસ યોજના માટે નવા ફોર્મ શરૂ, આ રીતે કરો અરજી

2 thoughts on “Gujarat Kusum Yojana 2024: ખેડૂતોને સિંચાઈ માટે સૌર ઉર્જા થી ચાલતા પંપ ની સ્થાપના માટે મળશે સબસીડી”

Leave a Comment